નિજાનંદ માટે રચાયેલા લોકસાહિત્યે લોકજીવનને તંદુરસ્ત રાખવાનું મુલ્યવાન કાર્ય કર્યુ છે.
આ લાખેણા લોકસાહિત્યના પ્રકારો પણ કેટકેટલા !
લોકગીતો, લોકવારતાઓ, ભજનો, ધોળ, સાવળો,
સરજુ, છંદ, દૂહા, ઉખાણાં, જોડકણાં, હરિયાળી, હડૂલા, રમતગીતો, હોળીના ફાગ,
રામવળા, ચંદ્રવળા, હાલરડાં, સલોકા, ડીંગ, વડછડ, ભવાઈગીતો, છાજિયા, રાજિયા,
મરશિયા ઇત્યાદિ અનેક પ્રકારોમાં પથરાયેલું છે. તેમાં જોડકણાં અને ઉખાણાંને મળતો એક વિશિષ્ટ પ્રકાર છે પાંચકડા...
પાંચકડા માટે કહેવું હોય તો કહી શકાય કે પાંચ ચરણનું હાસ્યપ્રધાન જોડકણું જેમાં ઘણીવાર ગંભીર વાત હસીને કહેવામાં આવે છે.
સારં ગામ સરવેડીને, પાદર ઝાઝાં કૂવા,
બાયું એટલી ભક્તાણીને આદમી એટલા ભૂવા
હરિતારાં પાંચ પાંચકડાં.
_____________________________
સારું ગામ સમાણી, નઈં મોરલી નઈં ખાવા,
મોયાપાંતે મજા કરે છે, એક કૂતરી ને બે બાવા,
હરિ તારા પાંચ પાંચકડાં.
વધુ વાંચો : http://www.orkut.com/CommMsgs.aspx?cmm=34539630&tid=2545687849404412108&start=1